તાજેતરમાં તા. ૨૧/૦૪/૨૦૧૮ વૈશાખસુદ ૬ ના દિવસે આપણા આચાર્યવર્ય ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રી ના જન્મદિન ઉત્સવ નિમિત્તે પુષ્ટિસંસ્કાર સંસ્થાન દ્વારા “ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી શ્રીપુરૂષોત્તમલાલજી મહારાજશ્રી સ્કોલરશીપ ફંડ” ની યોજના શરૂ કરવામાં આવી છે. આપણાં વૈષ્ણવ સંપ્રદાય માટે આ એક અતિ મહત્વનું કદમ છે. સ્કોલરશીપ યોજના હેઠળ તેજસ્વી તથા જરૂરીયાત મંદ વૈષ્ણવ બાળકોને આગળના ઉચ્ચસ્તરીય ભણતર માટે જરૂરી દ્રવ્ય સહાય આપવામાં આવશે.
આ પ્રથમ વર્ષે ૩૦ વિદ્યાર્થીઓ ને ફૂલ રૂપિયા ૭,૫૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે. આ સ્કોરલશીપ ફંડ અન્તરગત ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પાસ કરેલા બાળકોને આગળ અભ્યાસ માટે સહાયતા પ્રાપ્ત કરાવવામાં આવશે. દર વર્ષે સંજોગો અનુસાર આ ફંડના દ્રવ્યમાં વૃદ્ધિ કરવામાં આવશે. નીચે પ્રમાણે આ સ્કોરલશીપ મેળવવા માટે અરજી કરી શકાશે.
1) વિભાગ ૧ – ધોરણ ૧૦ પાસ૨૦૧૭ અથવા ૨૦૧૮ માં ધોરણ ૧૦ ની પરીક્ષા પાસ કરનાર કે જે હાલમાં ધોરણ ૧૧,૧૨ અથવા ડીપ્લોમા માં અભ્યાસ કરતા હોય તેવા છાત્રોને નીચે મુજબ સ્કોરલશીપ આપવામાં આવશે.
ધોરણ ૧૧ (સાયન્સ)- રૂ. ૨૦,૦૦૦
ધોરણ ૧૧ (કોમર્સ અને આર્ટસ) - રૂ. ૧૦,૦૦૦
ધોરણ ૧૨ (સાયન્સ) - રૂ. ૨૫,૦૦૦
ધોરણ ૧૨ (કોમર્સ અને આર્ટસ) - રૂ. ૧૫,૦૦૦
ડીપ્લોમાં એન્જીનીયરીંગ - રૂ. ૨૦,૦૦૦
2) વિભાગ 2 – ધોરણ ૧૨ પાસ૨૦૧૭ અથવા ૨૦૧૮ માં ધોરણ ૧૨ નીપરીક્ષા પાસ કરનાર કે જે હાલમાં નીચે મુજબ નીડીગ્રી કોર્ષીસ માં અભ્યાસ કરતા હોય તેવા છાત્રોને સ્કોરલશીપ આપવામાં આવશે.
એન્જીનીયરીંગ - રૂ. ૨૫,૦૦૦
મેડીકલ (એલોપેથી, આર્યુવેદિક, હોમિયોપેથી) - રૂ. ૩૦,૦૦૦
સી.એ. અથવા સી.એસ.- રૂ. ૨૫,૦૦૦
બી.એ.(સંસ્કૃત) / એમ.એ.(સંસ્કૃત) - રૂ. ૨૦,૦૦૦
પી.એચ.ડી.(સંસ્કૃત) - રૂ. ૩૦,૦૦૦
વિવિધ અન્ય બેચરલ ડીગ્રી - રૂ. ૧૫,૦૦૦
વિવિધ અન્ય માસ્ટર ડીગ્રી - રૂ. ૨૦,૦૦૦
પી.એચ.ડી.- રૂ. ૩૦,૦૦૦
(૧) વિદ્યાર્થી તથા તેમનો પરિવાર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોવા જોઈએ.
(૨) પરિવારનિ આર્થિક સ્થિતિ સામાન્ય હોય.
(૩) વિદ્યાર્થી સંસ્કારી અને ભણવામાં તેજસ્વી હોય.
| તા. ૨૧/૦૪/૨૦૧૮ | ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રીના જન્મદિનના શુભ અવસર પર સ્કોરલશીપ ફંડનું વિમોચન |
| તા. ૦૧/૦૫/૨૦૧૮ | સ્કોરલશીપ એપ્લીકેશન ફોર્મનું વિતરણ શરૂ |
| તા. ૨૫/૦૫/૨૦૧૮ | સ્કોરલશીપ એપ્લીકેશન ફોર્મ મેળવવાનિ અંતિમતારિખ |
| તા. ૦૫/૦૬/૨૦૧૮ | ફોર્મ ભરી પરત કરવાની છેલ્લી તારીખ |
| તા. ૧૭/૦૬/૨૦૧૮ | સ્કોરલશીપ માટે વિદ્યાર્થીઓની પસંદગીનું ફાઈનલ ઇન્ટરવ્યુ |
મહત્વનિ સુચના
પુષ્ટિસંસ્કાર સંસ્થાન કાર્યાલયમાં રૂબરૂ અથવા કુરિયર દ્વારા ફોર્મ જમા કરાવી શકાશે.
મળેલ તમામ ફોર્મમાંથી સ્કોરલશીપ કમિટિ દ્વારા પસંદગી પામેલા વિદ્યાર્થીઓ નેજ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. સ્કોરલશીપ કમિટિનો નિર્ણય અંતિમ રહેશે.
ઇન્ટરવ્યુ માટે ફોન કરી જાણ કરવામાં આવશે. ઇન્ટરવ્યુની તારીખ ઉપર મુજબ ફાઈનલ રહેશે. તે તારીખે જો કોઈ વિદ્યાર્થી હાજર નહી રહે તો તેમનું ફોર્મ રદ ગણાજે.
ફોર્મમાં જણાવેલ વિગત તથા સાથે જોડવાના બધાજ ડોક્યુમેન્ટ ફરજિયાત રહેશે. અધૂરા ફોર્મ માન્ય નહી રહે.
સ્કોરલશીપ કમિટિના સભ્યો – ધીરુભાઈ પટેલ, મથુરભાઈ રામાણી, ચેતનભાઈ શાહ, આનંદભાઈ ઠક્કર
સકોરલશીપફંડને લગતા કોઈપણ પ્રશ્નો અથવા વધુ માહિતિ માટે સમ્પર્ક – પુષ્ટિસંસ્કાર સંસ્થાન, મોટી હવેલી, જુનાગઢ
ફોન. ૦૨૮૫-૨૬૨૧૧૧૧, મો. ૯૦૩૩૯૨૬૨૩૮.

Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 79849 88963