ગોસ્વામી શ્રીકિશોરચન્દ્રજી મહારાજશ્રીની પ્રેરણા એવમ ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી ના સંપૂણૅ માર્ગદર્શન નીચે નિર્માણાધીન પુષ્ટિસંસ્કારધામ ના નિર્માણ માટે જુનાગઢ નજીક વડાલ ગામ પાસે ભૂમિ લેવામાં આવી છે. ભૂમિદાન સહયોગ નિમિતે વિવિધ ગામોમાં પુષ્ટિસંસ્કાર ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સુરત મુકામે તારીખ ૧૪/૦૪/૨૦૧૭ ના રોજ ગોસ્વામી શ્રીકિશોરચન્દ્રજી મહારાજશ્રી એવમ ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં પુષ્ટિસંસ્કાર ઉત્સવનું આયોજન થયેલ હતું. તે અંતર્ગત ખુબજ ઉત્સાહ પૂર્વક વૈષ્ણવોનો વૈષ્ણવી નિષ્ઠાપૂર્વક સુંદર સહયોગ પ્રાપ્ત થય રહ્યો છે.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351