Events Details  

પુષ્ટિસંસ્કારધામના પ્રચારાર્થે_પુષ્ટિસંસ્કાર ઉત્સવ- બોરીવલી - મુંબઈ

મુંબઈ- બોરીવલીમાં તા.10 ના રોજ પુષ્ટિસંસ્કારધામના લાભાર્થે પુષ્ટિસંસ્કાર ઉત્સવનું આયોજન થયું. વૈષ્ણવ સમાજમાં હર્ષની હેલી સાથે ગોસ્વામીશ્રી પીયૂષબાવાશ્રીના સામૈયા સુગન્ધિત ફૂલ-પાંખડીઓ દ્વારા થયા.એમાં જાણે બાળકોનો ભાવ મહેકતો હતો. આપશ્રી અને વૈષ્ણવ આગેવાનોએ દીપ પ્રાગટ્ય કર્યા બાદ સ્વાગત પ્રવચન થયુ. ત્યારબાદ પુષ્ટિસંસ્કાર પાઠશાળા મુંબઈ [બોરીવલી ] શાખાના વિદ્યાર્થીઓએ કૃતિ પ્રસ્તુત કરી. પુષ્ટિસંસ્કારધામની ડોક્યુમેન્ટરીના પ્રદર્શન બાદ વિશેષ માહિતી પણ આપવામાં આવી. ત્યારબાદ આપશ્રીના વચનામૃત માં સંસ્કાર અને શિક્ષણને જીવનમાં વણી લેવાનું ઉત્તમ માર્ગદર્શન આપી, વિકાસ અને પ્રકૃતીની મહતા દર્શાવી.ઉપસ્થિત શ્રોતાજનોને જ્ઞાન અને ભક્તિરસના આ અનુપમ લ્હાવા બાદ પુષ્ટિ સંસ્કારધામ- ભૂમિદાનના સહયોગીઓનું આપશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું.
સમગ્ર આયોજનમાં પાટીદાર સેવા સમાજના દરેક ટ્રસ્ટીઓ અને આગેવાનોએ નિષ્ઠાપૂર્વક સહકારથી કાર્યક્રમ દીપી ઉઠ્યો. 

Events

Donate Now

Watch Our Documentry

Contact Us
For any clearification Please get in touch with us Via

Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)

+91 - 97223 13351