
તા.૧૮/૦૮/૨૦૧૭ ના રોજ સાંજે ૪:૩૦ કલાકે ગોસ્વામી શ્રીપિયુષબાવાશ્રી નાનાડીયા ગામમાં પધારેલા
જેમાં આપશ્રીના સામૈયામાં સર્વે વૈષ્ણવજનો ઉપસ્થિત રહ્યા હતા. આપશ્રીએ ગોશાલામાં પધારી ગોસંસ્કૃતીનું
માર્ગદર્શન આપેલ સાથે નાકરા ગામની પાઠશાળાના બાળકો તેમજ વૈષ્ણવો જોડાયા હતા. નાનાડીયા અને નાકરાની પાઠશાળાના બાળકો દ્વારા ષોડાશગ્રંથનો પરિચય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આપશ્રીના વચનામૃત થયા તેમાં આપશ્રીએ વૈષ્ણવોને પોતાનું કર્તવ્ય, વૈષ્ણવી જીવન કેવું હોવું જોઈએ વગેરેનું માર્ગદર્શન આપી વૈષ્ણવોને જાગૃત કર્યા હતા. પુષ્ટિસંસ્કારધામના ભૂમિદાન દાતાશ્રીઓને આપશ્રી દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. નાનાડીયામાં સમસ્ત વૈષ્ણવોના ઉત્સાહથી એક પુષ્ટિસંસ્કાર સત્સંગ હોલનું નિર્માણ થશે જેની આપશ્રીએ ખુબ પ્રસન્નતા વ્યક્ત કરી આશીર્વાદ પાઠવ્યા હતા.

Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 79849 88963